વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારતમાં પણ આ રોગે પગ પેસારો કરેલ છે. અમદાવાદમાં પણ તપોઝિટિવ કેસ નોંધાયેલા છે. શહેરમાં આ રોગ વકરે નહીં તે માટે વિદેશ પ્રવાસ કરી પરત આવેલા હોય તેવા નાગરિકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. આ નાગરિકોના ઘરોમાં ઉત્પન્ન થયેલો કચરો અલગથી કાળા રંગની થેલીમાં એકત્ર કરી તેના ટ્રાન્સપોર્ટેશન માટે ડોર ટુ ડોર નું અલગથી વાહન ફાળવી ટ્રાન્સફર સ્ટેશન પર નક્કી કરેલ જગ્યાએ વ્યવસ્થિત એકત્ર કરવામાં આવશે, જ્યાંથી તે જ દિવસે બાયો મેડિકલ વેસ્ટ કલેક્શનની એજન્સી દ્વારા આ કચરાને ટ્રાન્સપોર્ટ કરી CPCB ની ગાઈડલાઇન્સ અનુસાર તેઓના ઇનસીનરેશન પ્લાન્ટ ખાતે બાળી નાંખી નિકાલ કરવામાં આવશે.