કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ ખુબજ કડક શબ્દોમાં આતંકીઓ અને તેમના સહારો આરપનાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. અરૂણ જેટલીએ બુધવારે દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઇપણ સંભવ છે. ભારત પણ આવું કરી શકે છે. નાણા મંત્રીએ જ્યારે આ વાત કરી તે સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ધ્રમેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.