રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીએ ગોવાના પણજીમાં શનિવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જે પણ ભારતમાં કામ કરવા ઈચ્છે છે તેણે હિંદુ સમાજ સાથે મળીને અને એના સશક્તિકીકરણ અને કલ્યાણ માટે કામ કરવું જોઈએ. હિંદુ આ દેશનું દિલ છે. પ્રાચીન કાળથી હિંદુઓએ ભારતની પ્રગતિ અને પતન બેઉ જોયાં છે.