સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલ જંગલ સફારી માં ત્રણ વિદેશી જાનવરો ના મોત ને લઈને ખળભળાટ મચી ગયો છે. જોકે વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી પીએમ કરાવી આ પ્રાણીઓને અગ્નિદાહ આપવા માં આવ્યો હતો. જોકે આ પશુઓના મોત નું કારણ જણાવતા વન અધિકારી જણાવે છે કે સીઝનલ બદલાવ અને સ્થળાંતરિત જગ્યાઓ બદલાવવાને કારણે પ્રાણીઓ મર્યા પરંતુ હવે વેર્ટરનરી દ્વારા પી.એમ રિપોર્ટ બાદ જાણવા મળશે કે આ જાનવરો ની મોત કેવી રીતે થઈ.