ઇમરાન ખેડાવાલા દ્વારા પૂર્વ મેયર અમિત શાહને નોટિસ આપવાનો મામલે અમિત શાહનું અતિ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને હાલ નોટિસ મળી નથી. હું મારી વાતને વળગી રહયો છું, મારુ નિવેદન સભાની મિનિટ્સમાં પણ નોંધાયું છે. ઇમરાન ખેડાવાલા પોતે નથી બોલ્યા, પણ જ્યાંથી આવું બોલાતું હતું ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા એમ કહ્યું હતું. ઇમરાન ભાઈને 20000થી વધુ હિન્દુઓએ મત આપ્યા, તેઓ ફક્ત મુસ્લિમોના પ્રતિનિધિ નથી. શુ તેઓ પોતાના હિન્દૂ મતદારોને પૂછીને ગયા હતા??