ભુજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યુટમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મને લઈને સામે આવેલા વિવાદ બાદ ટ્રસ્ટીઓએ તાકીદની બેઠક બોલાવી છે. ટ્રસ્ટની તપાસ દરમિયાન પ્રિન્સિપાલે આ ઘટના બની હોવાનું સ્વીકાર્યું છે. બેઠકમાં આ મામલે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. સાથે વાલીઓને સંતોષ થાય તે રીતે પગલાં ભરવામાં આવશે. જવાબદાર વ્યક્તિને સંસ્થામાંથી બરતરફ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ, આ મામલે મહિલા આયોગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લા પોલીસ વડા પાસે પણ જવાબ માગ્યો છે.