વડોદરામાં 20 અગ્રણી કરદાતાઓને આવકવેરા વિભાગે નોટિસ મોકલી છે. નોટબંધી સમયે જંગી રોકડ રકમ જમા કરાવવા બદલ નોટિસ પાઠવાઈ છે. જેમાં જવેલર્સ, બિલ્ડર, પેટ્રોલપંપના સંચાલકો, રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ પાઠવી છે. એક ઝવેરીને રૂપિયા 35 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી છે, તો એક બિલ્ડરને 21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારાઈ છે.