મ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની પોકળ ધમકી અંગે ભારતીય સેના પ્રમુખે આકરી પ્રતિક્રિયા આપી છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, પાકિસ્તાને સરહદ પર ભલે વધુ સૈનિકો તૈનાત કર્યા હોય પરંતુ અમને કોઇ ફરક પડતો નથી. કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ. સેના પ્રમુખે કહ્યું કે, અમે પાકિસ્તાનની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ.