પાકિસ્તાન દ્વારા અરબી સમુદ્રમાં ફિશિંગ કરવા ગયેલ ભારતીય બોટોનુ આઈએમબીએલ નજીકથી અપહરણ કરીને માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવામાં આવે છે. અમુક સમય સુધી માછીમારોને જેલમાં રાખ્યા બાદ તેઓને પોતાના વતન મોકલી આપવામાં આવે છે. પરંતુ લાખો રૂપિયાની બોટોને પાકિસ્તાન દ્વારા પરત નહિ કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના માછીમાર આગેવાન મનિષ લોઢારીએ એવો આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાન મરીન દ્વારા અત્યાર સુધી એક હજારથી વધુ ભારતીય ફિશિંગ બોટોનું અપહરણ કર્યુ છે. તેમાંથી મોટાભાગની સારી બોટોને પાકિસ્તાને હરાજી કરી વેચી દીધી છે. ત્યારે પાકિસ્તાનમાં અપહરણ કરાયેલ ભારતીય બોટોને ભારત સરકાર પરત લાવવા પ્રયાસ કરે.