જયંતિ ભાનુશાળી હત્યાને પગલે ચકચાર પ્રસરી જવા પામી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કદાવર નેતાની આમ સરેઆમ ટ્રેનમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરી હત્યા કરી દેવાઇ છે. આ ઘટનાને પગલે રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ મચ્યો છે. આ હત્યા રાજકીય કારણોસર કરાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. ચાર દિવસ અગાઉ ગૌવંશ બચાવ અંગેના કાર્યક્રમ માટેના એક પોસ્ટર પર જયંતિ ભાનુશાળીના ફોટા પર કાળી શાહી ફેંકાઇ હતા. જે જોતાં એવી પણ અટકળો લગાવાઇ રહી છે કે એમની હત્યા થવાનું નક્કી હતું.