સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ મીડિયા મામલે પી ચિદમ્બમરના વચગાળાના જામીન વિશે આજે સુનાવણી કરવાના છે. દિલ્હી હાઈકોર્ટેથી જામીન રદ થયા પછી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ આ વિશે સુનાવણી કરશે. આ પહેલાં સ્પેશિયલ કોર્ટે 22 ઓગસ્ટે ચુકાદો આપીને ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા. જસ્ટિસ અજય કુમારે કહ્યું કે, ચિદમ્બરમ સામે લાગેલા આરોપ ગંભીર છે, તેની ઉંડાણ પૂર્વક તપાસ જરૂરી છે.