એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર સીબીઆઇ કોર્ટ આજે મહત્વપૂર્ણ ચૂકાદો આપશે. બન્ને પક્ષો તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ છે. ઇશરત જહાં આતંકી પ્રવુતિ સાથે જોડાયેલી હતી. જેથી અધિકારીઓએ ફરજ પર રહીને કાર્યવાહી કરી હોવાની બચાવ પક્ષે દલીલ કરી હતી. તો બીજી તરફ ઇશરત જહાંના વકીલે કહ્યું હતું કે આ કેસમાં હજી સુધી આરોપીઓ સામે ચાર્જફ્રેમ થયો નથી.