અમદાવાદ શહેરમાં આવેલું પ્રાચિન જગન્નાથ ભગવાનનું મંદિર શહેરની ઓળખ છે. ત્યાં અષાઢી બીજે યોજાતી રથયાત્રા તો વિશ્વભરમાં જાણીતી છે. તો શહેરના લોકો પણ ભગવાન જગન્નાથ પ્રત્યે ખુબ આસ્થા ધરાવે છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ જગન્નાથ મંદિરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે.