Rath Yatra 2019: પરંપરાગત રથયાત્રાને લઇને અમદાવાદ આખું જગન્નાથમય બન્યું છે. ગુરૂવારે નીકળનારી 142મી રથયાત્રા પૂર્વે બુધવારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આજે લોકોને સોના વેશમાં દર્શન થઇ રહ્યા છે. લોકો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે. આજે ભગવાન જાંબલી રંગના વાઘામાં અને શણગાર સજ્યો છે. મંદિર પરિસરમાં ઠોલ અને શરણાઈના અવાજથી મંદિર ગુંજી રહ્યું છે.