અમદાવાદ : પત્રકાર ચિરાગ પટેલની હત્યાના મામલામાં નવો વળાંક આવ્યો છે. ચિરાગ પટેલના પીએમ રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. ચિરાગ પટેલની બોડી પર પેટ્રોલ, ડીઝલ અથવા તો કેરોસીનનો ઉપયોગ થયો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. સાથે ડેડ બોડી પર કાર્બન પાર્ટિકલ પણ મળી આવ્યું છે. કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતાં એજન્સીઓ તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.કાર્બન પાર્ટિકલના વધુ સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવામાં આવશે.