ધૂળેટીના દિવસે જ કોંગ્રેસના માથા પર મધ્ય પ્રદેશમાં મોટું સંકટ સામે આવ્યું છે. 18 વર્ષ સુધી જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસની સાથે રહ્યા હતા, અને અચાનક આજે કોંગ્રેસ સાથે નાતો તોડ્યો હતો. આજે રાજીનામુ આપતા પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પીએમ મોદી અને અમિત શાહને મળ્યા હતા. ત્યારે ભાજપમાં જોડાયા બાદ સિંધિયાને કયુ પદ મળશે તેના પર સૌની નજર છે.