નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગોની ટ્રાઈસાયકલ ભંગારમાં વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં ટ્રાયસાયકલ ભંગારમાં લઈ જતા દરમિયાન સ્થાનિકોએ વેપારીને ઝડપી પાડ્યો. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે એક બાજુ દિવ્યાંગોને ટ્રાયસાયલ મળતી નથી તો બાજી તરફ અહીં સિવિલ પ્રશાસન કોઈ પણ પ્રકારની સરકારી કાર્યવાહી વગર ભંગારમાં સાયકલ વેચી રહ્યું છે.