જમ્મુ અને કાશ્મીરના પુલવામાં જિલ્લાના અવંતિપોરામાં ગુરુવારે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ સીઆરપીએફનો મોટો કાફલો જઈ રહ્યો હતો અને આત્મઘાતી આતંકીએ કાફલાની એક બસ સાથે વિસ્ફોટકો ભરેલી ગાડી અથડાવીને મોટા આતંકી હુમલાને અંજામ આપ્યો. આ હુમલામાં 44 સીઆરપીએફ જવાનો શહીદ થયાં.