કચ્છની સરહદ ડેરીએ અછતના સમયે પશુપાલકોને રાહત આપી છે. સરદહ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રુપિયાનો વધારો કર્યો છે. તેથી પશુપાલકોને એક લીટર દીઠ 1.50 રુપિયાનો ભાવવધારો મળશે. ભાવવધારા આજથી જ અમલી બની જશે. કચ્છના આશરે 70 હજાર પશુપાલકોને આ ભાવવધારાનો લાભ મળશે.