નવસારીના પરથાણ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત થનારી જમીન માપણી મોકુફ રખાઈ છે. તંત્ર દ્વારા હવે 3 ફેબ્રુઆરીએ માપણી માટેની તારીખ અપાઇ છે. જમીન માપણી મુદ્દે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. આ મુદ્દે જમીન માપણીના વિરોધ માટે ખેડૂતો પરથાણ ગામે ભેગા થયા હતા. માપણી મુલતવી રહેતા આગળની રણનીતિ પર ચર્ચા કરી હતી.