સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ કમખ્વાર ઘટનામાં સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રહેતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે. કૃતિની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે કૃતિનું ધોરણ 12નું પરિણામ હતું પણ તે પરિણામ જોઇ શકે તે પહેલાં તેણે અંતિમ વાટ પકડી હતી.