વાઘોડિયાના વ્યારા ગામે દીપડાએ વાછરડાનુ મારણ કર્યુ હતું. ઘટના સ્થળે દિપડાના પંજાના નિશાન મડી આવ્યા હતા. કેળના ખેતરમાંથી આવી વાછરડા પર હૂમલો કર્યો હતો. નટુભાઈ ભલાભાઈ નાયકના વાછરડાનું મારણ કર્યુ હતું. ઘટના સ્થળે લોકટોળા ઊમટ્યા હતા. 6 માસમાં 13મા દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.