આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આજે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. સાંજે સાડા ચાર વાગ્યે પ્રધાનમંત્રીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધશે. એરપોર્ટ પર સંબોધન બાદ પીએમ મોદી ગાંધી આશ્રમ પહોંચશે.