બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનો આતંક હજુ યથાવત છે. વાવ પંથકના કુંડાળીયા, રાધાનેસડા અને માવસરીના રણ વિસ્તારમાં તીડોના ઝુંડ જોવા મળ્યા હતા. તીડોના નાશ કરવા કેન્દ્ર સરકારની 5 ટીમો, રાજ્ય સરકારની 15 ટીમો અને 23 ટ્રેકટર કામે લાગ્યા છે. તીડ રણ વિસ્તારમાંથી ગામની સીમમાં આવે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે.