ભાજપ મોવડીઓએ (BJP) કેતન ઈનામદાર (Ketan Inamdar) નો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં વડોદરાના અન્ય એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ (Madhu Shrivastav) રાજીનામાની ચીમકી આપી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી છે. અલગ અલગ વિકાસના કામો ન થતા હોવાથી નારાજગી હોવાનો સૂર તેમણે આલાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ મધુ શ્રીવાસ્તવની અધિકારીઓ સામે નારાજગી સામે આવી હતી. આ વિવાદ પછી મધુ શ્રીવાસ્તવે નિવૃત્તિની જાહેરાત કરી છે.