મગફળી કૌભાંડ બહાર આવ્યા બાદ હવે અધિકારીઓ અને રાજકારણીઓ વચ્ચે હુંસાતુંસી ચાલુ થઇ ચુકી છે. સરકાર અધિકારીઓ પર ઢોળી રહી છે. જ્યારે અધિકારીઓ રાજકારણી અને ચેરમેન પર દોષારોપણ કરી રહ્યા છે. સમગ્ર કૌભાંડમાં ફરી એકવાર ભીનુ સંકેલવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યું હોવાનો દાવો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.