નવી મુંબઇની નજીક આવેલા ઉરણ સ્થિત એલપીજી પ્લાન્ટમાં મંગળવાર સવારે ભીષણ આગ લાગાવની ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. આગમાં ત્રણ અન્ય ઓએનજીસીના કર્મચારી પણ દાઝ્યા છે. ઇજાગ્રસ્ત કર્મચારીઓને ઓએનજીસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.