આદિવાસીઓના પ્રશ્નો ઉપર અલગ ભીલીસ્થાન ની માગણી સાથે મહેશ વસાવા મેદાનમાં ઉતર્યા છે. બિરસા મુંડા ભવનથી આદિવાસીઓ શાળા મર્જ કરવાનો વિરોધ, બિન સચિવાલય પરીક્ષા રદ કરવાનો મુદ્દો સહિતના મુદ્દા પર વિધાનસભાનો ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે. ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં મહેશ વસાવાએ સત્તાવાર જાહેરાત કરી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બીલથી આદિવાસીઓના પ્રશ્નો વધારે છે અને તેનો વિરોધ આદિવાસી લોકો દ્વારા કરવામાં આવશે.