અમદાવાદ સિવિલમાં આવેલા પીડિયાટ્રિક વિભાગ દ્વારા વધુ એક ચમત્કારિક સર્જરી કરીને 3 વર્ષના બાળકને નવજીવન આપવામાં આવ્યું છે. ભાવનગરના મહુવાનું 3 વર્ષનું બાળક ભૂલથી મકાઈનો દાણો ગળી ગયા બાદ બાળકના અંગોમાં શ્વાસ ભરાઈ જતા તેના અંગોમાં સોજા આવી ગયા હતા. ડોકટરો દ્વારા તપાસ કરાયા બાદ શ્વાસનળીમાં મકાઈનો દાણો ફસાયાની જાણ થતા અત્યંત જોખમી ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું છે.