ભારતના વિદેશ મંત્રાલયની કેવડિયા ખાતે યોજાનારી વાર્ષિક કોન્ફરન્સ મુલતવી રહી છે. વિદેશ મંત્રાલય દ્રારા આ કોન્ફરન્સને વહીવટી કારણોસર મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો કલમ 370 બાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા બાદ ભારતીય રાજદૂતોની જવાબદારી વધી જાય છે જેના કારણે હાલ પૂરતી આ કોન્ફરન્સ મુલતવી રખાઈ છે.