1 સપ્ટેમ્બર થી 1 કરોડના રોકડ ઉપાડ ઉપર 2 ટકા ટીડીએસ લગાવવાના મામલે ઊંઝા માર્કેટયાર્ડના વેપારી અને કમિશન એજન્ટ દ્વારા ટીડીએસ કપાતનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી ઊંઝા માર્કેટયાર્ડના તમામ કમિશન એજન્ટ વેપારીઓ દ્વારા પોતાનો વેપાર બંધ રખાશે. નવી નાણાકીય નીતિ સામે બંધ પાળી વ્યક્ત વિરોધ કરશે.