મોદી સરકારે બજેટ પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. આ રાહત પેકેજનો લાભ આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે. આ રકમમાં આંધ્રપ્રદેશ માટે 900 કરોડ રૂપિયા, ગુજરાત માટે 130 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 4700 કરોડ રૂપિયા અને કર્ણાટક માટે 950 કરોડ રૂપિયાના પેકેજની મંજૂરી આપવામાં આવી છે. આ રાજ્યોમાં ખેડૂતો દુકાળથી પીડિત હતા અને સરકારના આ નિર્ણયથી તેમને મોટી રાહત મળશે.