કચ્છ જિલ્લામાં માલધારીઓના માલઢોર માટે પૂરતા પ્રમાણમાં ચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાથી ઘણા માલધારી પરિવારોએ કચ્છમાંથી હિજરત કરી છે, આડેસરના સાત માલધારી પરિવાર તેની 250 ગાયને લઈ મોરબી પંથકમાં આવી પહોચ્યાં છે ત્યારે નાની વાવડી ગામના ગ્રામજનોએ માલધારીઓની ગાયો માટે પાણી અને ચારાની વ્યવસ્થા ગોઠવી આપી.