મોરબીઃ ટંકારામાં માલધારીના વાડામાં જંગલી જનાવરે ઘેટાને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. ૮૦માંથી ૪૫ જેટલા ઘેંટાને જનાવરે ફાડી નાખતા ગામવાસીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. માલધારીને અંદાજે ચાર લાખથી વધુનું નુકશાન થયું છે. ફોરેસ્ટ ઓફિસર સહિત પશુ ડોકટર પણ ઘટના સ્થળે તાપસ કરવા પહોંચ્યા હતા.