લોકસભામાં પરબત પટેલે કેન્દ્રીય કૃષિમંત્રીને રજૂઆત કરી છે. પરબત પટેલે માગ કરી કે, 30 જૂને પૂરી થનારી ટેકાના ભાવે ખરીદીની મુદતમાં વધારો કરવામાં આવે. હજુ સુધીમાં 25 ટકા ખેડૂતોના રાયડાની જ ખરીદી કરવામાં આવી છે, ત્યારે અન્ય ખેડૂતોને અન્યાય ન થાય તે માટે તેમણે રજૂઆત કરી છે. ઝી 24 કલાક સાથે ની વાતચીતમાં તેમણે કહ્યું કે તેમણે આશ છે કે સરકાર તેમની અપીલ ને સાંભળશે જરૂર જેથી તમામ ખેડૂતોનો પાક વહેંચાય અને તેમની આવકમાં પણ ફાયદો થાય.