મધ્ય પ્રદેશમાં રાજકીય હલચલ આવ્યા બાદ હવે રાજીનામાનો સિલસિલો લાંબો ચાલશે. મીડિયા સાથેની વાતચીતમાં પાર્ટી છોડનાર તમામ ધારાસભ્યોએ કહ્યું હતું કે, પક્ષમાં તેમની અવગણના થઈ રહી છે. તો બીજી તરફ, મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યોએ સામૂહિક રાજીનામા અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 101 પર પહોંચી ગયું છે. તો ભાજપનું સંખ્યાબળ 107 પર પહોંચ્યું છે.