સાતલપુર તાલુકાના વારાહીમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના 20 વીઘા વિસ્તારમાં ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલ જીરાનો પાક નિષ્ફળ ગયો છે. આ સંજોગોમા ખેડૂતો પાક નુકસાનના વળતર તેમજ સત્વરે કેનાલના રિપેરિંગની માંગ કરી રહ્યા છે.