હાલ સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. આજે નર્મદા ડૅમની સપાટી 138.30 મીટર છે. ડેમનાં 5 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યાં છે. આ સાથે 1.40 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી છે. જો કે, તેની સામે ઉપરવાસમાંથી 1.50 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. 20 દિવસ પછી ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.