અંબાજીમાં બનેલ અકસ્માતની ઘટના બાદ પણ ગુજરાત RTO જાગ્યુ ના હોય તેમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં ખાનગી વાહનચાલકો વાળા ગેરકાયદે મુસાફરી કરાવી રહ્યા છે.. ખાસ કરીને ખાનગી જીપો અને છકડાઓમાં પેસેન્જરો બેસાડવામાં આવે છે અને આ વાહનોની છત ઉપર પણ મુસાફરી કરાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.