લોકસભા ચૂંટણીને લઈને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહે બીજેપીનું સંકલ્પ પત્ર જાહેર કર્યું. સંકલ્પ પત્ર જાહેર કરતાં મોદીએ કહ્યું કે રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસન જ અમારૂં મિશન છે. વડાપ્રધાન મોદીએ અલગથી જળ મંત્રાલય બનાવવાની પણ વાત કરી.