રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસમાં ઝગડો ચરમસીમા પર છે. જેના કારણે ન માત્ર તેનાં ધારાસભ્યો પલાયન થઇ રહ્યા છે પરંતુ સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. એનસીપીનાં ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા કોંગ્રેસ માટે વધારે એક ઝટકો સાબિત થયો છે.