નિર્ભયા કેસ (Nirbhaya Gangrape Case) માં ફાંસીની સજા પામેલા દોષિત મુકેશ સિંહ (Mukesh Singh) ની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) ફગાવી દીધી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિ (President) ને મોકલી હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અગાઉ સ્પષ્ટ કરી દેવાયું હતું કે રાષ્ટ્રપતિ દયા અરજી પર નિર્ણય લેવામાં વાર લગાડશે નહીં. અત્રે જણાવવાનું કે ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી ફગાવવાની ભલામણ ગૃહ મંત્રાલયને મોકલી હતી.