NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.