દેશના ગ્રોથ એન્જીન માનવામાં આવતા ગુજરાત રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. સંવેદનશીલ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ કુપોષિત બાળકો પ્રત્યે અસંવેદનશીલ હોય એમ માનવામાં આવી રહ્યુ છે. જેના પરિણામે જ રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે.