10 જાન્યુઆરીએ રાજ્ય સરકારે વિધાનસભાનું વ1 દિવસનું સત્ર બોલાવ્યું છે. આ એક દિવસના સત્રમાં નાગરિકતા કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ રજૂ કરાશે. 10 જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાનું 1 દિવસનું સત્ર મળશે. કેંદ્રના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ વિધાનસભામાં લવાશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સત્તાવાર રીતે જાણકારી આપતાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે બનાવેલા નાગરિકતા કાયદાના સમર્થનમાં એક દિવસનું વિધાનસભા સત્ર બોલાવીને કાયદાને સમર્થન આપવામાં આવશે.