અમદાવાદના અમરાઈવાડીમાં ગઇકાલે 100 વર્ષ જૂનું એક મકાન તુટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, આ દુર્ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 7 વ્યક્તિને એલજી હોસ્પિટલમાં અને 2 વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે ગત મોડીરાત્રે શહેરના વાડીગામ વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાઇ થતાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો છે. મકાન તોડવા માટે સ્થાનિકોએ અનેક વાર રજૂઆતો કરી હતી.