સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શિક્ષકોને વધુ એક જવાબદારી આપવામાં આવી છે. શિક્ષકોને હવે ઘરે ઘરે જઈ નિરક્ષરો શોધવાનું કામ સોંપાયું છે. શોધાયેલા નિરક્ષરોની ઓનલાઈન એન્ટ્રી પણ કરવાનું કામ અપાયું છે. શિક્ષકો બાળકોને ભણવવાના બદલે હવે અભણ લોકોને શોધવા ફરશે. પ્રાથમિક શિક્ષકોને હવેથી શાળામાં જવાની જગ્યાએ ઘરે ઘરે જવું પડશે અને ઘરના વડાને મળવું પડશે.