છેલ્લા ઘણા દિવસોથી તીડનો આતંક સહન કરી રહેલા બનાસકાંઠા પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે બનાસકાંઠામાં તીડનો આંતક પૂર્ણ થયો હોવાનું જણાવ્યું છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે હવે તીડના ત્રાસમાંથી ખેડૂતોને મુક્તિ મળી છે.