કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલા પર નિવેદન આપતા કહ્યું કે આ દુ:ખની ઘડીમાં આખો દેશ એક સાથે છે. તેમણે કહ્યું કે દેશને કોઈ શક્તિ તોડી શકે નહીં. પૂર્વ પીએમ મનમોહન સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશને આશ્વાસન આપતા કહ્યું કે અમે સરકાર અને સુરક્ષાદળોની સાથે છીએ. અમે આ આતંકી હુમલા પર રાજનીતિ નહીં કરીએ.