દિલ્લીમાં ગાંધી જયંતિ પર કોંગ્રેસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિલ્લી કોંગ્રેસ કાર્યાલયથી રાજઘાટ સુધી 'રઘુપતિ રાઘવ રાજા રામ'ની થીમ પર પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે.